મોદી સરકારની અધ્યક્ષતામાં કેબિનેટમા લેવાયો નવો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં થયો 4% વધારો

નમસ્કાર મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. આ મહિનામાં હોળીનો તહેવાર આવી રહ્યો છે અને તેના પહેલા આપણે મોદી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને પહેલા 46% મોંઘવારી બધું મળતું હતું અને હવે તેમાં 4 ટકાનો વધારો કરી 50% કરી દેવામાં આવ્યો છે. કેબિનેટ ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટેનું નિર્ણય લેવામાં આવ્યો હતો. જાવી દઈએ કે આ મોંઘવારી ભથ્થું એ એક જાન્યુઆરી 2024 થી 30 જુન 2024 માટે વધારવામાં આવ્યો છે.

બે મહિનાનું એરિયર્સ માર્ચ મહિનામાં પગાર સાથે મળશે

નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા હેઠળ સાત માર્ચ 2024 ના દિવસે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી જેમાં મોંઘવારી ભથ્થા માટે નવો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં તેને 46% થી વધારીને 50% કરી દેવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી દેશના 68 લાખ પેન્શન ધારકો અને 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે. તેમના માર્ચ મહિનામાં આવનારા પગારમાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. અને તેમની સાથે છેલ્લા બે મહિનાનું એરિયર્સ પણ મળે તેવી અપેક્ષા છે.

મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો

બે દિવસ પહેલા સાત માર્ચ 2024 ના રોજ કેન્દ્રીય કેબિનેટ ની બેઠક મળી હતી તેમાં કર્મચારી એ અને પેશન ધારો કોને મળતા મોંઘવારી ભથ્થા માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો. હવે તેમાં ચાર ટકાનો વધારો કરી 50% કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયથી દેશના લગભગ 68 લાખ પેન્શન ધારકો અને 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે.

મોંઘવારી ભથ્થામાં થશે વધારો

અત્યારે જે કેબિનેટમાં નિર્ણય લેવાયો છે તે જાન્યુઆરી 2024 થી જૂન 2024 સુધી લાગુ કરવામાં આવશે. હવે લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં જે સરકાર આવશે તે આવનારા સમયમાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધી મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી સંભાવના છે.

જાણો કેટલો થશે પગારમાં વધારો

કેન્દ્રીય કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં વધારો થયો છે. જેના કારણે હવે તેમને પગારમાં પણ વધારો થશે. ઉદાહરણ તરીકે અત્યારે વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 50000 રૂપિયા પગાર ધોરણ મળે છે જેમાં તેમને 46% મોંઘવારી ભથ્થું મળતું હતું જેમાં તેમને માસિક ₹23,000 મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. પરંતુ હવે તેમાં 4% નો વધારો થઈ મોંઘવારી પથ્થુ 50% કરી દેવામાં આવી છે એટલે કે પ્રતિ માસિક તેમને 25000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે એટલે કે વાર્ષિક તેમને 24 હજાર રૂપિયાનો નફો થશે.

ધારો કે કોઈ કેન્દ્રીય કર્મચારીઓનો માસિક પગાર રૂપિયા એક લાખ છે જેને 46% મોંઘવારી ભથ્થા લેખે 46000 મોંઘવારી ભથ્થું મળતું હતું અને હવે તેમાં તેમને વધારો થતા 50000 રૂપિયા ભોગવવાની બધું મળશે એટલે કે તેમના પગારધરોળમાં માસિક રૂપિયા 4000 નો વધારો થયો છે એટલે કે વાર્ષિક તેમને ૪૮ હજાર રૂપિયાનો નફો થશે.

Leave a Comment